lagani na anubandhan

લાગણીના સંબંધો હૈયાની વાતના તાંતણે બંધાયેલા હોય છે. એક વ્યક્તિના મનની વાચા બીજી વ્યક્તિ વગર કોઈ સંપર્કસેતુએ પણ સમજી લઈ શકે છે. બની શકે એવા લાગણીના સંબંધોનું કોઈ નામ ન હોય. અથવા તે લોહીના કે કર્મના સંબંધો પણ ન હોય, બની શકે એનું ઉલ્ટું હોય; કોઈ સ્વજન સાથે આટલો નિસ્બત બંધાયો હોય કે તેણે કોઈ વાતને વ્યક્ત કરવા પહેલાં જ સમજાઈ ગઈ હોય. કોઈ સાથે તો એવું ય હોય કે માત્ર એક અમસ્તી ઓળખાણ જ હોય. તોય મનના તાર જોડાયા હોય સાથે લાગણીનું ખેંચાણ સંધાય ગયું હોય. બની શકે એક તરફી લાગણી હોય યા બંને તરફ લાગણીની કબૂલાત હોય. ક્યારેક મૂક સંમતિ હોય કે પછી કબૂલાત બાદની અસ્વીકૃતીની પીડાતી લાગણી હોય!

ખરું કહું તો આ લાગણીઓ તો થકવી દેનારી હોય છે. કોઈ પરાણેય વહાલું લાગે તેવું હોય તો કોઈને જોઈને કે પછી નામ સાંભળીને ધ્રુણાં કે ગુસ્સો ઉપજે. રાજી કોઈને જોઈને પણ થઈ જઈએ. તો કોઈ સાથે કલાકો વીતાવીએ તો પણ મના અંતરથી ખુશી નથી મળી શકતી. બધું જ મન મનના કારણ છે. વ્યક્તિ સાથેના અનુભવો અને સંજોગોના સમીકરણોને આપણે સમજવા જ રહ્યા. એથી વિશેષ આપણે કરી પણ કંઈ ન શકીએ. લાગણીઓના ઘોડાપૂર રોકવા કે લાગણીઓના કૂંપણોને પાંગરવાની ક્યાં કોઈ અક્સીર દવા છે જ. જે છે તે અનુભવે સાંપડેલી જણસ છે. લાગણીઓની સાથે કરેલી મનોમંથાનની મથામણે મેળવેલ નિર્ણયોનું નવનીત મધુરું લાગે છે.લાગણીઓની સાથે કરેલી મનોમંથાનની મથામણે મેળવેલ નિર્ણયોનું નવનીત મધુરું લાગે છે.

360

આપણી લાગણીઓને આપણે જીવનમાં સહજતાથી વણી લઈને જીવનના એક અવિભાજ્ય અંગ તરીકે ગણી લઈને જીવવા લાગીએ છીએ ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી. પરંતુ આ જ લાગણીઓ સ્વેચ્છાએ માથું ઊંચકીને, આળસ મરડીને કે બળવો પોકારીને પોતાનું મહત્વ અને સત્તાને પ્રસ્થાપિત કરવા નીકળે ત્યારે ખરી મુશ્કેલીઓ ઊભી થાય છે. કારણ કે આ લાગણીઓને ક્યારેક બૌધિક તર્ક – વિતર્ક જેવું નથી પણ હોતું. એને તો બસ, એ અને એની લાગણીઓ ધારે એમ કરવા / વર્તવા જોઈતું હોય. દરવખતે લાગણીઓની માગણીઓ પોષવી માણસજાતના હાથમાં નથી હોતું. તેના હાથ અનેક જવાબદારીઓ, સંજોગો અને પૂર્વમાન્યતાઓથી બંધાયેલા હોય છે.

લાગણીઓને ક્યાં ભૂત, ભવિષ્ય કે વર્તમાન જેવું હોય જ છે. તેમ છતાં સમયાંતરે સંજોગો સાથે તે સ્વરૂપ બદલે જરૂર છે, એમાં ના નહીં. લાગણીઓ સમજૂ પણ કેટલી હોય છે કે સ્વજનોની લાગણીઓને પણ જાણી લેતી હોય છે. ક્યારેક લાગણીઓ જીદે પણ ચડે છે હો, જ્યારે તે પ્રેમમાં પડે છે. આજ લાગણીઓ એકલતામાં રડી લેવા મદદરૂપ પણ એટલી જ થાય છે અને તે જ પાછી મિત્રોની ટોળીઓની લાગણીઓ સાથે ભળીને મોજ કરી લેવાય પ્રેરે છે.

2134

લાગણીઓ તો આપણી પોતીકી છે. તેને આપણે જાતે જ સધિયારો પણ આપીએ છીએ અને સહિયારો પણ. એક અનોખી સપોર્ટ સિસ્ટમ છે. જે આપણાં વિચારો, પસંદગી, સમસ્યાઓ અને સંજોગો ઘડે છે. ક્યારેક તેને વ્યક્ત કરવામાં ઊણપ અનુભવીએ છીએ તો કોઈવાર બીજાની લાગણીઓને સમજવામાં પણ થાય ખાઈ જઈએ છીએ. કોઈની લાગણી ઝટ દઈને સ્વીકારી લેવા મન માનતું નથી. તો વળી, કોઈ આપણી લાગણીને નકારે એ ઇચ્છનીય પણ નથી હોતું.

અંતે, લાગણીઓની ઝંઝાળમાં સપડાયેલાં થાકી – હારીને આપણે જ ઘણીવાર ફરિયાદ કરી દેતાં હોઈએ છીએ કે આ લાગણીઓ કેમ નડે છે? લાગણીઓને ક્યાં એનો જવાબ આપતાં આપણે શીખવ્યું છે? આપણે તો બસ લાગણીઓ જીવતાં જ માંડ શીખ્યાં છીએ, ત્યાં તેને ક્યાં આવું શીખવીએ, હેં ને? #કુંજકલરવ ૨૬.૬.૨૦૧૯

Leave a comment